યુદ્ધવિરામ પર પુતિનની ના

યુદ્ધવિરામ પર પુતિનની ના

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નજીકના સહયોગી યૂરી ઉશાકોભે અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. રશિયાએ જણાવ્યું છે કે ૩૦ દિવસનો યુદ્ધવિરામ યુક્રેન માટે માત્ર તાત્કાલિક રાહત હશે, પરંતુ યુદ્ધના પરિણામમાં કોઈ ફેરફાર લાવશે નહીં.

તે જ સમયે, રશિયાએ યુક્રેનની સરહદ નજીક આવેલા કૂર્સ્ક વિસ્તારમાં પોતાનું કબ્જું વધુ મજબૂત બનાવ્યું છે. રશિયન સેનાએ દાવો કર્યો છે કે તે કૂર્સ્ક વિસ્તારમાં આવેલા મહત્વપૂર્ણ શહેર સુઝાને કબ્જે કરી ચૂક્યું છે. આ વચ્ચે, રાષ્ટ્રપતિ પુતિને તાજેતરમાં કૂર્સ્કની મુલાકાત લીધી, જે રશિયાની રણનીતિ માટે મહત્વપૂર્ણ હોવાનું માનવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *